by Kutch Care News
January 5th 2020.

પૂર્વ કચ્છ અંજારમાં સરકારી કચેરીઓ માટે સેવા સદન બનાવાશે

પ્રાંત અંજાર ખાતે રાજયમંત્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં અધિકારીઓની સંકલન બેઠક યોજાઇ

ભાડાના મકાનમાં બેસતી સરકારી કચેરીઓ માટે દરખાસ્ત કરાશેઃ

ભુજ,શનિવારઃ

પૂર્વ કચ્છનાં વડા મથક બનવા જઇ રહેલા ઐતિહાસિક અંજાર શહેરમાં સરકારી કચેરીઓ માટે અલાયદું સેવા સદન બનાવી અરજદારોને એકથી બીજા સ્થળે પોતાનાં કામો માટે ધક્કા ખાવા ન પડે અને એક જ સ્થળે સરકારી વિભાગોની જુદી-જુદી સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય તે આશય સાથે હાલે ભાડાના મકાનમાં બેસતી ૧૪ જેટલી કચેરીઓ સહિત ભવિષ્યમાં આવનાર બીજી કચેરીઓનો પણ તેમાં સમાવેશ કરી શકાશે તેવું આયોજન ઘડાઇ રહ્યું છે. 

આજે અંજાર પ્રાંત કચેરી ખાતે સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં મળેલી સંકલન બેઠકમાં પૂર્વ કચ્છનાં તમામ અધિકારીઓની સંકલન બેઠકમાં પ્રાંત અધિકારી ડો. વી.કે.જોષીએ ભાડાના મકાનમાં બેસતી સરકારી કચેરી માટે સ્વતંત્ર જમીન માંગણી જરૂરી હોય તે સિવાયની તમામ સરકારી કચેરીઓને સેવાસદન સમાવવાની સુચારૂ સુવિધા ઉપલધ્ધ કરાવી શકાય તે માટે તાત્કાલિક દરખાસ્ત રજૂ કરવા સૂચના આપી હતી. 

રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે વર્ષોથી અંજારની ઐતિહાસિક શહેરની નામના સાથે શિક્ષણની જવાબદારી સંભાળતી અને પોતાનાં ભૂતળ જળ ઉપર નિર્ભર એવી નગરપાલિકા સ્વચ્છતાના સર્વેક્ષણમાં કેમ પાછળ રહી તેનું પણ પૂછાણું લીધું હતું. ચીફ ઓફિસર સંદીપ પટેલે તે અંગે જૂની સાઇટના કાટમાળ સહિત કચરાંના નિકાલમાં થયેલી ક્ષતિઓ સુધારી લઇ પુનઃ અંજાર શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં કામયાબ બનાવાશે તેવી ખાતરી આપી હતી.  

અંજાર પ્રાંત અધિકારી ડો. વી.કે.જોષીએ સરકારી જમીનમાં કોમર્શીયલ દબાણો પરત્વે લાલ આંખ કરવા સાથે તલાટીના દાખલાના આધારે પીજીવીસીએલને વીજ જોડાણો ન આપવા સાથે આવા કનેકશનો વિરૂધ્ધ પોલીસ રક્ષણ સાથે ખાસ ઝુંબેશ ઉપાડવા અને પાણી પુરવઠા વિભાગને વગર મંજૂરીએ ચલાવાતાં ગેરકાયદે બોરવેલથી ખેંચાતાં ભૂગર્ભ જળનો મનફાવે તેમ કરાતો ગેરકાયદે વેપાર વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે અર્બન હેલ્થ સેન્ટર માટે જમીનની માંગણીમાં ઢીલનું પૂછાણું લઇ સંકલનમાં જવાબદાર અધિકારીઓને જાતે હાજર રહેવા સાથે બેઠકમાં અપાતાં નિર્દેશોને ગંભીરતા સાથે ધ્યાને લઇ કાર્યવાહી કરવા સાથે વરસામેડી-વેલસ્પ્ન પાસેના ડાયવર્ઝનને મોટરેબલ બનાવવા ખાસ સૂચના આપી હતી. 

આ ઉપરાંત પ્રાંત અધિકારી ડો. વી.કે.જોષીએ પ્રજાસત્તાક દિન રજા માણવાનો રાષ્ટ્રીય પર્વ નથી તેમ જણાવી પરેડમાં સૌ અધિકારીઓને ઉપસ્થિત રહેવા સાથે મીઠા પસવારીયામાં આગામી રાત્રિ સભામાં ઉપસ્થિત રહેવા નિર્દેશ આપ્યો હતો.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ ડાંગર, નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ પલણ, કિસાન મોર્ચાના મહામંત્રી ગોપાલભાઈ માતા, શાસકપક્ષના નેતા શ્રી ડેનીભાઈ શાહે ચર્ચામાં ભાગ લીધો હતો.

આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી એ.જી.દેસાઇ, ઉપરાંત મામલતદાર, પોલીસ, સીટી સર્વે, માર્ગ-મકાન વિભાગ સહિત તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વીએભટ્ટ ૦ ૦ ૦ ૦

Kutch Care News

[email protected]
Search Website

Search

Subscribe

Newsletter

WhatsApp Google Map
×

Caution! Unverified Website!


The identity of this user has not yet been verified. Please make transactions at your own risk!

Safety and Abuse Reporting

Thanks for being awesome!

We appreciate you contacting us. Our support will get back in touch with you soon!

Have a great day!

Are you sure you want to report abuse against this website?

Please note that your query will be processed only if we find it relevant. Rest all requests will be ignored. If you need help with the website, please login to your dashboard and connect to support